આ વર્ષે ભારતમાં નહીં પડે દુકાળ, જાણો કેમ છે આવી માન્યતા
આ વર્ષે ભારતમાં નહીં પડે દુકાળ, જાણો કેમ છે આવી માન્યતા
ચારધામ યાત્રા શરૂ થઈ ચુકી છે. 10મી મેના રોજ કેદારનાથના દરવાજા ખુલ્યા બાદ ગઈકાલે 12મી મેના રોજ બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલી ગયા છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. કપાટ ખોલતાની સાથે જ ધામની અંદરનો નજારો દેખાયો તે દેશ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે.
ગર્ભગૃહમાં ભગવાન બદ્રીનાથની મૂર્તિ પર છ મહિના પહેલા મંદિરના કપાટ બંધ કરતી વખતે જે ઘીનો ધાબળો લગાવવામાં આવ્યો હતો, જે આજે કપાટ ખોલતાં તે બિલકુલ એ જ હાલતમાં મળી આવ્યો હતો.
ઘી અને ધાબળો પહેલા જેવી સ્થિતિમાં મળવા એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે, જેને જોઈને ભક્તો ખૂબ જ ખુશ થયા. તે પછી પરંપરા અનુસાર ભવિષ્યવાણી કરવામાં આવી હતી, કે આ વર્ષે દેશમાં ક્યાંય દુષ્કાળ નહીં પડે અને સમૃદ્ધિ રહેશે.
વાસ્તવમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં બદ્રીનાથ ધામના કપાટ 6 મહિના માટે બંધ કરતાં પહેલા ભગવાન બદ્રીનાથને ઘીના ધાબળો ઓઢાડવામાં આવે છે. આ રિવાજ દર વર્ષે કરવામાં આવે છે. જો ઘીનો લેપ એવોને એવો જ મળી આવે તો એવુ કહેવાય છે કે, દેશમાં ક્યાંય દુષ્કાળ નહીં પડે. જો ઘીનો ધાબળો સૂકો જોવા મળે તો તે અશુભ માનવામાં આવે છે. આ હિમાલય પ્રદેશમાં દુષ્કાળ અને મુશ્કેલી સૂચવે છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0