ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે ગઈ કાલે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી મારી ગઇ હતી
ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે ગઈ કાલે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી મારી ગઇ હતી
હાલ રાજ્યમાં અકસ્માતોનીઓ સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે જામનગરના ધ્રોલ નજીક વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે ગઈ કાલે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી મારી ગઇ હતી. કારમાં સવાર પાંચ લોકોમાંથી 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર ધ્રોલના લતીપુર અને ગોકુળપુર વચ્ચે ગઈ કાલે મોડી રાત્રે કાર પલટી મારી ગઇ હતી. કારમાં 5 લોકો સવાર હતા. જેમાંથી ઋષિ પટેલ , ધમેન્દ્રસિંહ ઝાલાઅને વિવેક પરમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતાં પોલીસનો ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતકોનીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0