અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી ખ્યાતી મળતી સ્પેશીયાલીટી હોસ્પીટલમાં ભારે હોબાળો થયો હતો. લોકોએ હોસ્પીટલમાં તોડફોડ કરી હતી. કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે બોલાવી તેમની સારવાર કર્યા બાદ બે વ્યક્તિના મોત થયા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી ખ્યાતી મળતી સ્પેશીયાલીટી હોસ્પીટલમાં ભારે હોબાળો થયો હતો. લોકોએ હોસ્પીટલમાં તોડફોડ કરી હતી. કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે બોલાવી તેમની સારવાર કર્યા બાદ બે વ્યક્તિના મોત થયા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સારવાર બાદ બે લોકોના મોત અને ૭ લોકો ICUમાં દાખલ છે. હોસ્પીટલની બેદરકારીના કારણે આ લોકોના મોત થયા હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનો દ્વારા વહેલી સવારે હોસ્પીટલમાં હોબાળો મચાવ્યો હતો અને હોસ્પીટલમાં તોડફોડ પણ કરી હતી.
મળતી માહિતી મુજબ અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતી મળતી સ્પેશીયાલીટી હોસ્પીટલમાં આજે સવારે કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ સારવાર અર્થે હોસ્પિટલએ પરિવારજનોને જાણ કર્યા વગર જ ૧૯ લોકોની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી જયારે સાત લોકોની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં સારવાર બાદ ૨ લોકોના મોત થયા હતા. ગ્રામજનોને જાણ થતા મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોચી આ મામલે ડોકટરો અને હોસ્પિટલ સ્ટાફ પાસે જવાબ માંગો હતો. પરંતુ યોગ્ય રીતે જવાબ ના મળતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને હોસ્પીટલમાં તોડફોડ કરી હતી.
ગામના સરપંચ દ્વારા જણાવ્યા મુજબ બે દિવસ પહેલા ખ્યાતી મળતી સ્પેશીયાલીટી હોસ્પિટલ દ્વારા મેડીકલ કેમ્પ કરવમાં આવ્યો હતો. જેમાં કેમ્પ બાદ ૧૭-૧૮ લોકોના નામ લખી તેમને બીજા દિવસે હોસ્પીટલમાં સારવાર અર્થે બોલવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના લોકોની એન્જીયોગ્રાફી કરી નાખવામાં આવી છે. તેમની સારવાર બાદ ૨ લોકોના મોત થયા હતા. આ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સરકાર દ્વારા આ હોસ્પિટલ સામે કાર્યવાહી કારે તેવી માગ કરવામાં આવી રહી છે.
Comments 0