સુરતથી ઉદયપુર જઈ રહેલી એક લક્ઝરી બસનું ટાયર ફાટ્યા બસ આગ લગતા બસમાં સવાર 42 મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા
સુરતથી ઉદયપુર જઈ રહેલી એક લક્ઝરી બસનું ટાયર ફાટ્યા બસ આગ લગતા બસમાં સવાર 42 મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતથી ઉદયપુર જઈ રહેલી ખાનગી બસમાં ત્યાર ફાટ્યા બાદ આગ લાગી હતી.ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ દોડતું થયું હતું અને દોઢ કલાકની જેહમત બાદ આગ અપર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે બસમાં સવાર 42મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી અનુસાર બનસાકાંઠાનાં પ્રાતિજના ટોલનાકા પાસે વહેલી સવારે સુરતથી ઉદયપુર જઈ રહેલી એક લક્ઝરી બસનું ટાયર ફાટ્યા બસ આગ લગતા બસમાં સવાર 42 મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા. બસમાં આગ લગતા અફર તફરીનો માહોલ સર્જાયો હતો. સમય સુચકતાથી તમામ મુસાફરો બસ બહાર નીકળી જતા મોટી જાનહાની ટાળી હતી.
ઘટની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચ્યું હતું અને દોઢ કલાકની જેહમત બાદ આગ અપર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે આગની લપેટમાં આવેલી બસ બળીને ખાખ થઇ ગઈ હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0