વાવાઝોડાને લઈ એક લાખથી વધુ લોકોને વિવિધ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેમલની અસર ચાર કલાક સુધી ચાલુ રહેશે અને તેનું કેન્દ્ર રાત્રે 8.30 વાગ્યે દરિયાકિનારાથી લગભગ 30 કિમી દૂર હતું. જે બાદમાં રાત્રે 12 વાગ્યા બાદ તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ હતું.
બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં રવિવારે મધ્યરાત્રિએ ચક્રવાતી તોફાન 'રેમલ'નો કહેર જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને લઈ એક લાખથી વધુ લોકોને વિવિધ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેમલની અસર ચાર કલાક સુધી ચાલુ રહેશે અને તેનું કેન્દ્ર રાત્રે 8.30 વાગ્યે દરિયાકિનારાથી લગભગ 30 કિમી દૂર હતું. જે બાદમાં રાત્રે 12 વાગ્યા બાદ તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ હતું.
હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ચક્રવાત બાંગ્લાદેશમાં મોંગલાના દક્ષિણ-પશ્ચિમ ભાગથી થઈને ભારતના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પસાર થવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું હતું કે, તે મધરાત સુધીમાં આસપાસના વિસ્તારોમાં પહોંચી જશે. બપોરે 3 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળ સરકારે દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાંથી લગભગ 1.10 લાખ લોકોને બહાર કાઢ્યા હતા અને તેમને આશ્રય ગૃહો, શાળાઓ અને કોલેજો જેવા સલામત સ્થળોએ ખસેડ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 1.10 લાખ લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આમાં મોટી સંખ્યામાં લોકો દક્ષિણ 24 પરગણા જિલ્લાના છે, ખાસ કરીને સાગર દ્વીપ, સુંદરવન અને કાકદ્વીપ
પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરના ઘણા ભાગોમાં સતત વરસાદ ચાલુ છે. ચક્રવાત રેમલ વધુ થોડા સમય માટે લગભગ ઉત્તર તરફ અને પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને આજે સવાર સુધીમાં ધીમે ધીમે નબળું પડી જશે. પૂર્વોત્તરના વિવિધ રાજ્યોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ અને સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને જિલ્લા વહીવટીતંત્રોને ગંભીર ચક્રવાતી તોફાન રેમલના આગમન પહેલા અગાઉથી સાવચેતીનાં પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.
ચક્રવાત બાંગ્લાદેશના મોંગલા અને ખેપુપારા તટના દક્ષિણ-પશ્ચિમ ભાગમાંથી પસાર થવાનું શરૂ થયું હતું. ગંભીર ચક્રવાતી તોફાન 'રેમાલ' રવિવારે રાત્રે બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું અને સત્તાવાળાઓએ દેશના નીચાણવાળા દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આઠ લાખથી વધુ લોકોને સ્થળાંતર કર્યા હતા. ગંભીર ચક્રવાતી તોફાન 'રેમલ' રવિવારે રાત્રે બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું અને સત્તાવાળાઓએ દેશના નીચાણવાળા દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આઠ લાખથી વધુ લોકોને સ્થળાંતર કર્યા હતા.
Comments 0