અમદાવાદથી ઓઢવાડ જઈ રહેલી કારે અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલી કારની વચ્ચે ગાય આવી જતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી
અમદાવાદથી ઓઢવાડ જઈ રહેલી કારે અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલી કારની વચ્ચે ગાય આવી જતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવદ ઇન્દોર હાઇવે પર અકસ્માત સર્જાયો છે. હાઇવે પર રાત્રી દરમ્યાન ગાય આવી જતા ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. તમામ મૃતકો બાલાસિનોરના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદથી ઓઢવાડ જઈ રહેલી કારે અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલી કારની વચ્ચે ગાય આવી જતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. ઘટનામાં કારમાં સવાર 5 લોકો પૈકી 4નાં ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. જયારે અન્ય એક ઈજગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ચારેય મૃતક મહીસાગરના બાલાસિનોરના ઓથવાડ ગામના રહેવાસી છે. ઘાર્મિક કામે ગયેલા લોકો અકસ્માતનો ભોગ બનતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.
ઘટની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0