ગોવાના શિરગાંવમાં યોજાતી શ્રી લેરાઈ 'જાત્રા' દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. 'જાત્રા' દરમિયાન થયેલી ભાગદોડમાં 7 લોકોના મોત થયા હતા. અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ગોવાના શિરગાંવમાં યોજાતી શ્રી લેરાઈ 'જાત્રા' દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. 'જાત્રા' દરમિયાન થયેલી ભાગદોડમાં 7 લોકોના મોત થયા હતા. અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ગોવાના શિરગાંવમાં યોજાતી શ્રી લેરાઈ 'જાત્રા' દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. 'જાત્રા' દરમિયાન થયેલી ભાગદોડમાં 7 લોકોના મોત થયા હતા. અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.ઘાયલોને તાત્કાલિક ગોવા મેડિકલ કોલેજ (GMC) અને માપુસામાં ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઘટના ત્યારે બની હતી જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરંપરાગત 'જાત્રા'માં ભાગ લેવા માટે એકઠા થયા હતા. ભારે ભીડને કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. જેના કારણે ભાગદોડ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ઘાયલોમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે જ્યારે અન્યની હાલત ખતરાની બહાર છે.
ઘટનાની માહિતી મળતાં, મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલ અને બિચોલિમ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ઘાયલોને મળ્યા હતા અને તેમની સારવાર વિશે પૂછપરછ કરી હતી અને અધિકારીઓને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો.
લેરાઈ દેવી એક પૂજનીય હિન્દુ દેવી છે, જે મુખ્યત્વે ગોવામાં પૂજાય છે, ખાસ કરીને દક્ષિણ ગોવાના શિરોડા ગામમાં. લૈરાઈ દેવીને સમર્પિત મંદિર સ્થાનિક લોકો અને નજીકના વિસ્તારોના ભક્તો માટે એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક કેન્દ્ર છે.
લૈરાઈ દેવી જાત્રા, જેને શિરગાંવ જાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગોવાનો એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવાર છે જે દર વર્ષે બિચોલીમ તાલુકાના શિરગાંવ ગામમાં લૈરાઈ દેવીના માનમાં ઉજવવામાં આવે છે. આ જાત્રા હિન્દુ કેલેન્ડરમાં ચૈત્ર મહિનામાં (માર્ચ-એપ્રિલ) યોજાય છે અને ઘણા દિવસો સુધી ચાલે છે. આ તહેવારની સૌથી મુખ્ય વિશેષતા અગ્નિમાં ચાલવાની પરંપરા છે, જેમાં "ધોંડ" નામના ભક્તો સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલે છે. આ ધાર્મિક વિધિ તેમની શ્રદ્ધા અને આધ્યાત્મિક શુદ્ધતાનું પ્રતીક છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0