સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા
સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા
વેરાવળ તાલુકાના ઈન્દ્રોઈ અને તાલાલા તાલુકાના જાવંત્રી ગામે સામાજીક ઓડિટ અંતર્ગત ગ્રામસભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં જિલ્લા સામાજીક ઓડિટર ગોવિંદભાઈ સોલંકી દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને મળે છે કે નહિ તેની ચકાસણી તેમજ વિવિધ કામોની સ્થળ તપાસ કરવામાં આવી હતી.
ગ્રામસભામાં જિલ્લા સમાજીક ઓડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે માહિતી આપી પ્રસાર પ્રચાર કરવામાં આવ્યો હતો તેમજ ગ્રામજનોના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું. તાલુકા રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશનના તાલુકા આજીવિકા મેનેજર દીપેનભાઈ ડાભી અને શિલ્પાબહેન દ્વારા ગ્રામજનોને રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશનની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ તકે, વર્ષાબેન ખેર દ્વારા ગ્રામજનો વધુમાં વધુ લોકો સરકારની યોજનાઓનો લાભ લેતા થાય એવી અપીલ કરવામાં આવી હતી.
ગ્રામસભામાં સરપંચ કાનાભાઈ ચૂડાસમા, અલ્તાફભાઈ બ્લોચ, સર્વે તલાટી એમ.જે.સોલંકી, પ્રવીણભાઈ વાઢેર, મનરેગા વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પ્રકાશભાઇ, જિલ્લા મનરેગા એકાઉન્ટન્ટ સાગરભાઇ, તાલુકા મનરેગા એ.પી.ઓ રામ રાજાભાઈ, સુરક્ષા અધિકારી જયેશભાઈ વાણવી આંગણવાડી વર્કરો, સખીમંડળો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0