ઝારખંડના ટાટાનગર પાસે મંગળવારે વહેલી સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં, હાવડાથી મુંબઈ જઈ રહેલી 12810 હાવડા-CSMT મેલના 18 ડબ્બા ટાટાનગર નજીક ચક્રધરપુરમાં પાટા પરથી ઉતરી ગયા હતા
ઝારખંડના ટાટાનગર પાસે મંગળવારે વહેલી સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં, હાવડાથી મુંબઈ જઈ રહેલી 12810 હાવડા-CSMT મેલના 18 ડબ્બા ટાટાનગર નજીક ચક્રધરપુરમાં પાટા પરથી ઉતરી ગયા હતા
ઝારખંડના ટાટાનગર પાસે મંગળવારે વહેલી સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં, હાવડાથી મુંબઈ જઈ રહેલી 12810 હાવડા-CSMT મેલના 18 ડબ્બા ટાટાનગર નજીક ચક્રધરપુરમાં પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 2 મુસાફરોના મોત થયા છે, જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. જોકે, રેલવે દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
રેલવેની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. ઘણા મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ માટે પટનાથી NDRFની ટીમ મોકલવામાં આવી છે.
બે દિવસ પહેલા આ રૂટ પર એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. મેલ એક્સપ્રેસ એ જ માલસામાન ટ્રેનના ડબ્બા સાથે અથડાઈ હતી અને તેની 8-10 ડબ્બા પાટા પરથી ઉતરીગયા હતા. કેટલાક કોચ એકબીજા સાથે અથડાયા હતા
અકસ્માત બાદ ટ્રેનની અંદર અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનાને કારણે દક્ષિણ પૂર્વ રેલવેના ટાટાનગર-ચક્રધરપુર સેક્શન પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનો અન્ય રૂટ પર ચલાવવામાં આવી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0