બલૂચ બળવાખોરોએ ગઈ કાલે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક ટ્રેનને હાઇજેક કરી હતી, જેમાં 500થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આ આતંકી હુમલાને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ટ્રેન હાઈજેકને લઈને ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે.