પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મજયંતી નિમિત્તે પ્રભાસ પાટણ મુકામે ગત રવિવારે સવારે 10 વાગ્યાથી 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકર ત્રીશતાબ્દી સમારોહ સમિતિ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મજયંતી નિમિત્તે પ્રભાસ પાટણ મુકામે ગત રવિવારે સવારે 10 વાગ્યાથી 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકર ત્રીશતાબ્દી સમારોહ સમિતિ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવા સંમેલનમાં સમગ્ર ભારત વર્ષમાંથી 500 જેટલા યુવાનો અને યુવતીઓ વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામ કરી રહ્યા છે, તેમને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. આ યુવાનો અને યુવતીઓ રમત ગમત, ઉદ્યોગ, પ્રાકૃતિક ખેતી શિક્ષણ, વિજ્ઞાન, રક્ષા સહિતના ક્ષેત્રોમાંથી અપેક્ષિત હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભાગ્યેશ જહા, અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી, નિવૃત્ત IAS અધિકારી હતા. તેમજ નિવૃત્ત શેના અધિકારી કેપ્ટન ડૉ.મીરાબેન દવે, શસ્ત્ર ઉદ્યોજક પ્રીતિબેન પટેલ, પ્રાધ્યાપક આયુર્વેદિક કોલેજ નાગપુર મનીષાબેન કોઠેકર વિશેષ ઉસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે બધા જ વક્તાઓ દ્વારા ઉપસ્થિત યુવા શક્તિને સાંપ્રત સમયમાં મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન થયું હતું. કાર્યક્રમમાં ગૌ આધારિત વસ્તુઓનો વિતરણનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો સાથે સાથે લોકમાતા અહલ્યાબાઈની જીવનના પુસ્તકો અને અન્ય ઉપયોગી પુસ્તકો અને સાહિત્યનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો. સેલ્ફી પોઇન્ટ, પ્રદર્શનની ગોઠવણ થઈ હતી.
Comments 0