જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં સેનાનું વાહન ખાડામાં પડી ગયું છે. આ દુર્ઘટનામાં 2 જવાનો શહીદ થયા છે જ્યારે ત્રણ જવાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં સેનાનું વાહન ખાડામાં પડી ગયું છે. આ દુર્ઘટનામાં 2 જવાનો શહીદ થયા છે જ્યારે ત્રણ જવાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં સેનાનું વાહન ખાડામાં પડી ગયું છે. આ દુર્ઘટનામાં 2 જવાનો શહીદ થયા છે જ્યારે ત્રણ જવાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઈજાગ્રસ્ત સૈનિકોને શ્રીનગર રિફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં છ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘાયલોને તાત્કાલિક બાંદીપોરાની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બે જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા. ગંભીર રીતે ઘાયલ સૈનિકોને સારી સારવાર માટે શ્રીનગર લઈ જવામાં આવ્યા હતા.
અધિકારીઓએ અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ અંગે બાંદીપોરાની જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મસરત ઈકબાલ વાનીએ જણાવ્યું હતું કે, "અહીં 5 ઘાયલોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી 2 લોકોના મોત નિપજ્યા હતા, 3 ઘાયલોની હાલત ગંભીર છે અને તેમને વધુ સારવાર માટે શ્રીનગર રીફર કરવામાં આવ્યા છે.
છેલ્લા 20 દિવસમાં સેનાના વાહન અકસ્માતનો આ ત્રીજો કેસ છે. અગાઉ, 24 ડિસેમ્બર, 2024 ના રોજ, સેનાનું એક વાહન રસ્તા પરથી લપસી ગયું હતું અને પૂંચ જિલ્લામાં એલઓસી નજીક 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં પાંચ જવાનોના મોત થયા હતા અને ડ્રાઈવર સહિત અન્ય પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0